Skip to main content

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.

ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો.
લોકજીવનનાં રંગ, ઉમંગ અને વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ એટલે તરણેતરનો મેળો.
ભાદરવા સુદ 4-5-6 એમ ત્રણ દિવસનું લોક સંસ્કૃતિનું નમુનારુપ નજરાણું એટલે તરણેતરનો મેળો.
તો ચાલો આપણે જાણીએ તરણેતરના મેળાનો ઈતિહાસ કાબીલ કલમના કસબી એવા મારા પરમમિત્ર ધમઁરાજસિંહ વાઘેલા(છબાસર) _"અજાન"ની કલમે.

























































































"ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક 

નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ"


































https://youtube.com/c/KutchiBawaTalentHub


 મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. 
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે....
"નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ."
આમ આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતરના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્રસમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો અને ઈ.સ. ૧૯૨૪ નારોજ તેમનો કૈલાશવાસ આ દરમિયાન એમનું પવિત્ર જીવન અને પવિત્ર કર્યો.
તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા.. 
🙏 તરણેતરનો ટુંકો ઈતિહાસ 🙏 
ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. 
(૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને 
(૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. 
બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે. 
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે, 
લેખક : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)_"અજાન"ના સહયોગથી પ્રકાશિત..🙏🅿️





























































🌐Https //wordpress.com/KutchiBawaTalentHub














www.prjadeja.com 



Comments

Popular Post

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

PmKisan sanman nidhi yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Pmkisan yojana ના હપ્તાની વિગતો જાણવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આગળ વધો..  Check your beneficiary status Pmkisan yojana   📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx  Check the direct name.  See a list of each village here. Check your status as a beneficiary based on mobile number, account number or Aadhaar number.  Click on the given link. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx 📉વધુ માહિતી માટે pmkisan.gov.inની વેબસાઈટ ચેક કરો. વેબસાઈટ લિંક ⏬ pmkisan site 📲#new farmer registr

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે છે પરંતુ  જ્યારે છાપું વાંચવા કે ડોંગરે

World Lion Day : વિશ્ર્વ સિંહ દિવસ : The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾 🦁 વિશ્વ સિંહ દિવસ 🦁 🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન, પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾 🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે. 🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે. 🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા. 🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. 🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા. 🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે. 🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ. 🐾દિલ્હી-1834 🐾ભાવલપુર-1842 🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870 🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865 🐾પચ્છિમ અરવલ્લી-1880 🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે. 🦁

મામૈયદેવ ધણીમાતંગ : ભારતના નોસ્ટ્રાડોમસ (ભવિષ્યવેતા)

🙏🏻કચ્છમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મામૈદેવ કે ધણી માતંગ મામૈદેવ કે મામૈયા માતંગ તરીકે પ્રખ્યાત વિદ્વાને મામૈદેવપુરાણની રચના કરેલી. આજે પણ કચ્છમાં આ રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. https://www.youtube.com/c/KutchiBawaTalentHub મામાઈદેવ 12 મી સદીમાં ભારતમાં જન્મેલા ફિલસૂફ હતા. તે માતંગદેવના દીકરા હતા, જે લુરંગદેવના પુત્ર હતા, જેઓ ધણી માતંગ દેવના પુત્ર હતા.ગુજરાતની કચ્છ અને સિંધ, પાકિસ્તાનને ધર્મનો ઉપદેશ આપ્યો. તેમના પ્રચાર દરમિયાન તેમણે ભૂતકાળની ઘટનાઓની વાત કરી અને ભવિષ્ય વિશે ભવિષ્યવાણીઓ કરી. તેમણે પ્રાચીન બારામતી પંથનું વર્ણન અને રચના કરી. તેમની સમાધી પાકિસ્તાનમાં સિંધના બાડીન જિલ્લામાં માકલી માટી ગામ ખાતે સ્થિત છે. આ રચનાઓમાં પણ મામૈદેવે ભવિષ્યની આગાહીઓ રૂપે લખાણ કરેલું છે. મુળ કચ્છી સિંઘી ભાષાની આ રચનાઓ છે. Https://www.kbthub.wordpress.com કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ, માંમૈયો માતંગ ચ્યે, નાણે વિકંધા ન્યા. કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે. ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી, વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી. ખચ્ચર (ગદર

કચ્છ સ્ટેટનું ભૂગોળનું પાઠ્યપુસ્તક ઈ.સ.1913

Free Download book Click here  Click here 👇 Download here kutch's geography book

🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏

https://youtu.be/y247jwCPq1s 🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏  મિત્રો આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું જીવનચરીત્ર 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. આપને એક અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. તેમની આત્મકથા ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ છે. મારા અનુભવો માંથી સાભાર. "શ્યામ"ના હસ્તાક્ષર. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી - કચ્છ. 1⃣prjadeja1.blogspot.com 2⃣ મહારાણા પ્રતાપસિંહજીનો ત્રિબ્યુટ વિડિયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://youtu.be/y247jwCPq1s વિડિયો સૌજન્ય :તલવારબાજી ટીમ-શકત શનાળા(મોરબી) અને યુવરાજ સિંહ ઝાલા. અન્ય માહિતી સ્ત્રોત મિત્ર યુવરાજસિંહ જાડેજા ગોંડલ.(યુયુત્સુ) 👑👑👑👑👑 મહારાણા પ્રત